મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રાથમિક શિક્ષણ શાળાઓ ખોલવાની લઈને આપ્યો મહત્વનો જવાબ….

Published on: 3:01 pm, Wed, 21 July 21

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઓછી થઈ રહી છે. અને ફરી એક વખત જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ધંધા રોજગારીને પણ ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. તો કોલેજ અને ધોરણ 12ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે.

તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આગામી કેબિનેટ બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગેની મહત્વની વિચારણા કરવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓક્સિજનની અછત થી કરેલા પ્રહારને લઈને વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં ઓક્સિજનની અછત એ કોઈ પણ મૃત્યુ થયા નથી.

મંગળવારના રોજ રાજ્યમાં કોરોના નવા 29 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 4 કેસ અને વડોદરામાં 7 કેસ નોંધાયા હતા રાજકોટમાં એક પણ કોરોના નો કેસ નોંધાયો ન હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રાથમિક શિક્ષણ શાળાઓ ખોલવાની લઈને આપ્યો મહત્વનો જવાબ…."

Leave a comment

Your email address will not be published.


*