હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ આ પાર્ટીનો થશે પ્રવેશ, ગુજરાતમાં આ પાર્ટીની એન્ટ્રીથી ભાજપમાં ખળભળાટ…

Published on: 12:10 pm, Wed, 21 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. આ ઉપરાંત દિવસેને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ વધી રહ્યું છે.

ગામડાઓ અને શહેરોમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ થી નારાજ થનારા લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટી બાદ હવે ભાજપના ગઢમાં મમતા બેનરજીની પાર્ટી સક્રિય બની ચૂકી છે. મમતા બેનરજીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ રહે તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં આજરોજ TMC શહીદ દિવસ મનાવશે. અને ગુજરાતના અનેક કાર્યકરોને મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે મમતા બેનરજીના પોસ્ટર લાગી ચૂક્યા છે. આની સાથે શહેરના અનેક વિસ્તારોમાં સ્કિન પર મમતા બેનર્જી નું ભાષણ પ્રસારિત કરશે.

શહેરમાં મમતા બેનરજીના પોસ્ટરથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં મમતા બેનરજીની ભાજપમાં હલચલ મચી ગઈ છે. ભાજપના ગઢમાં આમ આદમીની એન્ટ્રી થયા બાદ હવે મમતા બેનરજીની પાર્ટીની પણ થશે એન્ટ્રી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ આ પાર્ટીનો થશે પ્રવેશ, ગુજરાતમાં આ પાર્ટીની એન્ટ્રીથી ભાજપમાં ખળભળાટ…"

Leave a comment

Your email address will not be published.


*