કોરોના કહેર વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતમાં આવીને કરી શકે છે આ કામ ? જાણો વિગતે.

Published on: 3:26 pm, Thu, 22 April 21

ગુજરાતમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે તેવામાં ગઈકાલે કોરોના કેસનો આંકડો પ્રથમ વખત બહાર 12 હજારને પાર થઇ ગયું. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવી શકે છે. ગુજરાતમાં સતત કેસ વધારાના કારણે અમિત શાહ મુલાકાત લઈ શકે છે.

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સતત કોરોના કેસો વધતા શહેરની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓ થી ફૂલ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં DRDO દ્વારા અમદાવાદની યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં હોસ્પિટલ મુલાકાત લે તેવી શક્યતા છે.અમદાવાદમાં ઉભી કરાયેલ હોસ્પિટલમાં 900 બેડની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.

થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલ ની જાહેરાત કરી હતી. જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં 150 બેડ આઈસીસી અને વેન્ટિલેટર ના પણ હશે.

ગુજરાતમાં સતત કોરોના કેસ વધતા હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને તમામ સુવિધાઓ અને રાહત મળશે.

રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણામાં 495, સુરતમાં 491, વડોદરા કોર્પોરેશનમાં 475, રાજકોટ કોર્પોરેશનમાં 397, કોર્પોરેશનમાં 307, વડોદરામાં 256, જામનગરમાં 202, કચ્છમાં 200, ભાવનગર કોર્પોરેશનમાં 149 કેસો નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના કહેર વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતમાં આવીને કરી શકે છે આ કામ ? જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*