ગાંધીનગરમાં ગુમ થયેલા 24 વર્ષના યુવકનું મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:19 pm, Sun, 8 May 22

ગાંધીનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગર પાસેના અમિયાપુર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ અમૃત દેહગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના રહેવાસી યુવકનું હતું. યુવક જમીન દલાલીના વ્યવસાય સાથે જોડાયેલો હતો.

4 તારીખના રોજ તે પોતાની કાર સાથે ગુમ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતો 24 વર્ષીય પાર્થ કમલેશભાઈ ઠાકોરનો મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળી આવ્યું હતું. પાર્થ જમીન દલાલી અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

મળતી માહિતી મુજબ પાર્થ 4 તારીખ બુધવારના રોજ ઘરેથી બીલાસીયા ગામમાં સામાજિક પ્રસંગમાં ગયો હતો. પ્રસંગ પતાવીને તે સીધો ઘરે આવવાનો છે તેવી વાત તેને પોતાના પરિવારજનો સાથે કરી હતી. મોડી રાત થઈ ગઈ છતાં પણ પાર્થ ઘરે ન આવ્યો તેથી પરિવારજનોની ચિંતા થવા લાગી હતી. ત્યાર બાદ પરિવારજનોએ પાર્થ ની શોધખોળ શરૂ કરી હતી.

પાર્થનો કોઈ પણ પ્રકારનો પત્તો ન લાગ્યો. પરંતુ નિકોલ પાસેથી પાર્થની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. જ્યારે પાર્થ મૃતદેહને આજરોજ નર્મદા કેનાલ માંથી મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાર્થના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું છે.

સળગેલી હાલતમાં કાર મળી આવતા પરિવારજનો દ્વારા પાર્થનો જીવ લેવામાં આવ્યો છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. શું પાર્થનો જીવ લઈ લેવામાં આવ્યો છે કે પછી પાર્થે જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે. જો પાર્થે જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે તો તેની કાર કોને સળગાવી? આ સમગ્ર પ્રશ્નોને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરમાં ગુમ થયેલા 24 વર્ષના યુવકનું મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*