27 વર્ષથી ભાજપ એટલે સત્તા પર હતી કારણ કે કોંગ્રેસ સાથે એમની મિલીભગત હતી : ઇસુદાન ગઢવી

Published on: 7:36 pm, Tue, 11 October 22

આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનજીને સમજાઈ ગયું છે કે મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. એટલું જ નહીં પરંતુ ભાજપના એક એક નેતાઓને ખબર છે કે આમ આદમી પાર્ટી ગામડાઓ સુધી ઘૂસી ગઈ છે. ઈશુદાન ગઢવી એ વધુમાં જણાવ્યું કે, પરંતુ અમને આશ્ચર્ય એ વાતનું છે કે અત્યારે પ્રધાનમંત્રી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે પણ સાથે સાથે કોંગ્રેસનો પણ પ્રચાર કરવાની જવાબદારી પ્રધાનમંત્રી ખુદ લઈ રહ્યા છે.

કાલે એમણે એમના ભાષણમાં કહ્યું હતું કે, કોંગ્રેસ ગામડાઓ સુધી પહોંચી ગઈ છે જ્યારે કોંગ્રેસ અત્યારે કોઈ પણ જગ્યાએ દેખાતી નથી. પરંતુ પ્રધાનમંત્રી કોંગ્રેસની જીવતી રાખવા માંગે છે. પ્રધાનમંત્રી ઈચ્છા છે કે કોંગ્રેસ મજબૂત બને. એનો મતલબ એમ થાય છે કે છેલ્લા 27 વર્ષથી ભાજપ એટલે સત્તા પર હતી કારણ કે કોંગ્રેસ સાથે એમની મેલી ભગત હતી. જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસના એમએલએને તેઓ ખરીદી લેતા હતા.

વધુમાં વાત કરતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જાણતા હોવા છતાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી ગામડાઓમાં, શેરીઓમાં, ગલીઓમાં ઘૂસી ગઈ છે. જો કોંગ્રેસ જીવતું રહે અને આઠ દસ સીટ પણ લાવે, જ્યારે છેલ્લે ખાના પૂરતી નો સવાલ આવશે ત્યારે કોંગ્રેસના બધા એમએલએ ભાજપ ખરીદી શકશે. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતની જનતા બધુ જાણી ગઈ છે.

એક એક ચાલને સમજી ગઈ છે. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસના 65 મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે, આટલું જ નહીં પરંતુ આંદોલન કરતાં પણ ભાજપમાં જોડાયા છે. એનો મતલબ સાફ છે કે કઈ રીતે ભાજપ લોકોને ડરાવીને ધમકાવીને, પૈસાની લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લે છે. પરંતુ આ વખતે ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે ભાજપ નહીં કોંગ્રેસ નહીં ફક્ત આમ આદમી પાર્ટી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "27 વર્ષથી ભાજપ એટલે સત્તા પર હતી કારણ કે કોંગ્રેસ સાથે એમની મિલીભગત હતી : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*