ગુજરાતમાં ગરબા ના ચાહકો માટે મોટા સમાચાર, જાણો શું છે રૂપાણી સરકારનો માસ્ટરપ્લાન….

Published on: 12:54 pm, Sat, 14 August 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં કોરોના ના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને અનેક રાજ્યો દ્વારા અનલૉક ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની વાત કરીએ.

તો ત્યારે ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાની મહામારી ને લઈને ગરબા રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે.

ત્યારે રાજ્યમાં જનજીવન પહેલાની જેમ ફરીથી ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. આ સાથે રાજ્યમાં એક કેસનો આંકડો પણ દિવસે ને દિવસે ઘટી રહ્યો છે. અને મૃત્યુના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર આગામી આવતી નવરાત્રી ને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

ત્યારે મળતા સૂત્રો અનુસાર એવી જાણકારી મળી છે કે આગામી દિવસમાં શેરીઓમાં ગરબા રમવા માટેની છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ ખાસ કરીને પાર્ટી પ્લોટ, જાહેર મેદાન કે ક્લબમાં ગરબા રમવાની કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

તેમજ કોરોનાની guidelines ને આધીન SOP તૈયાર કરવામાં આવશે. જો આગામી સમયમાં નવરાત્રિમાં ગરબા રમવાની છૂટ મળી તો કોરોના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ગરબા ના ચાહકો માટે મોટા સમાચાર, જાણો શું છે રૂપાણી સરકારનો માસ્ટરપ્લાન…."

Leave a comment

Your email address will not be published.


*