ગુજરાત રાજ્યમાં એસ.ટી.બસને લઈને આવ્યા મોટા સમાચાર મુસાફરો માટે રાહતના સમાચાર.

Published on: 5:29 pm, Fri, 2 October 20

કેન્દ્રની ગૃહ મંત્રાલય દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર ની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આવે બસના મુસાફરો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે કે,બસમાં 75 ટકા લોકો ને બેસાડી શકાશે એટલે કે 60 બેઠક વાળી બસમાં હવે 45 લોકો ને બેસાડી શકાશે.ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર ને લઈને અનલૉક 5 માં છૂટછાટ આપવામાં વધારે આવી છે.

ખાનગી  વાહનોઅને સરકારી વાહનોમાં પણ પહેલા કરતા નિયમોમાં ઢીલ મૂકવામાં આવી છે.GSRTC એટલે કે એસ.ટી.બસ, સીટી બસ, ખાનગી બસ સર્વિસ માં 75 ટકા લોકો ને બેસવાની મંજૂરી આપવામાં આવી છે. વળી મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકાર નિયમો પ્રમાણે યથાવત્ રહેશે.ગુજરાત રાજ્યમાં એક રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસવાની.

સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6 થી વધારે લોકોને બેસવા માટેની વ્યવસ્થા હોય તો તેમાં ચાર લોકોને ફેસ કવર પહેરાવીને બેસાડી શકાશે.

ખાનગી વાહન હોય તો એક ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં એસ.ટી.બસને લઈને આવ્યા મોટા સમાચાર મુસાફરો માટે રાહતના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*