શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે

Published on: 9:19 pm, Wed, 2 September 20

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યું છે કે,વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શકયતા હોવાથી આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં.રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજૂર થયેલા ફોર્મ મા સુધારો કરવાની મુદત આપવામાં આવે તો, આરટીઇ હેઠળ ના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર હાઇડ કરી શકાય નહીં. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2020-21 માં RTE હેઠળ પ્રવેશ માટે તા.07/08/2020 ના રોજ વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા અરજદારો એકતા કરી શકે છે અને તા.07/08/2020 થી 18/08/2020 સુધીનો ફૂલ 11 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત દસ દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે ફૂલ 23 દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવા માટે RTE ઉપર વાલીઓ દ્વારા કુલ 2,04,420 જેટલી અરજીઓ થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*