તમિલનાડુમાં અચાનક જ ફટાકડાની દુકાનમાં લાગી ભૂષણ આગ – 5 લોકોના મૃત્યુ…

Published on: 10:51 am, Wed, 27 October 21

તમિલનાડુમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરા શહેરમાં એક ફટાકડાની દુકાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાંચ લોકોના કારણે મૃત્યુ થયા છે.

આ ઉપરાંત બીજા અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.

મળતી માહિતી અનુસાર દિવાળીના તહેવારને કારણે ફટાકડાનો ઘણો સ્ટોક જમા થઇ ગયો હતો. ત્યારે અચાનક જ દુકાનમાં ભીષણ આગ લાગવાના કારણે ખૂબ જ ઊંચે સુધી આગના ઘૂમાડા દેખાઈ રહ્યા હતા. ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલી પડી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુકાનમાં આગ શા માટે લાગી તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી. મળતી માહિતી અનુસાર આ આ દુર્ઘટનામાં દુકાનની સામે પાર્ક કરેલી એક ટુ વ્હીલરમાં પણ આગ લાગી ગઈ હતી.

આ ઉપરાંત દુકાનની અંદર પડેલું લેપટોપ પણ આગની ઝપટમાં આવી ગયું હતું. આ ઉપરાંત તમિલનાડુ સરકાર દ્વારા ઈમરજન્સી વોર્ડમાં સારવાર લેતા લોકોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તમિલનાડુમાં અચાનક જ ફટાકડાની દુકાનમાં લાગી ભૂષણ આગ – 5 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*