ભાવનગરમાં વધુ એક યુવકનું રખડતા ઢોરના કારણે કરુણ મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…

Published on: 11:36 am, Fri, 20 October 23

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. ઘણી ઘટનામાં રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના ભાવનગરમાંથી સામે આવી રહી છે. અહીં રખડતા ઢોરના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

યુવકનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા-સંબંધીઓ ઉપર શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ઘોઘા સર્કલ પાસે એક યુવક પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇકની સામે અચાનક જ રખડતું ઢોર આવી જતા યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે યુવકની બાયક સ્લીપ પકાઈ ગઈ હતી અને આ ઘટનામાં યુવક જમીન પર પટકાયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

યુવકના અકસ્માતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 40 દિવસની સારવાર બાદ યુવકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતની ઘટના 40 દિવસ પહેલા બની હતી. પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઘણા દિવસોની સારવાર બાદ તેનું મોત થયું છે. દીકરાનું મોત થતા ખલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ પહેલા પણ તમે ઘણી આવી ઘટનાઓ સાંભળી હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં વધુ એક યુવકનું રખડતા ઢોરના કારણે કરુણ મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*