બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે ગુજરાતમાં પાર્ટી ઓફિસથી…

Published on: 3:39 pm, Thu, 1 July 21

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે સતત તકરાર ચાલી રહી છે. ફરી એક વખત મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે ગુજરાતમાં પાર્ટી ઓફિસથી વેક્સિન વિતરણ કરવામાં આવી.

અને આ મામલે શા માટે કોઈપણ પ્રકારની તપાસ ન કરી. આ ઉપરાંત રાજ્ય ને લઈને બેનરજીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ રાજ્યને બદનામ કરી રહ્યું છે.

આ ઉપરાંત રસી વિતરણ મામલે કેન્દ્ર પર મમતા બેનરજીએ પ્રહાર કર્યા કે રસીકરણના કેસમાં સ્વાસ્થ્ય મંત્રાલય પોતાની જવાબદારીથી ભાગી રહી છે તે ભાગી શકે નહીં. તેઓ શું કરી રહ્યા હતા.

આ તમામ હોમ મિનિસ્ટરની ઓફિસથી રચવામાં આવેલ એક માસ્ટર પ્લાન છે. મમતા બેનરજીએ રસીકરણ ને લઈને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મંગળવાર સુધીમાં 2.17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા.

અમારા રાજ્યોને 1.99 કરોડ રસીનો જથ્થો મળ્યો છે. જ્યારે રાજસ્થાન જેવા નાનાં રાજ્યોને રસીનો વધારે જથ્થો શા માટે આપવામાં આવી રહ્યો છે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે ગુજરાતમાં પાર્ટી ઓફિસથી…"

Leave a comment

Your email address will not be published.


*