મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ની ત્રીજી લહેર નો સામનો કરવા માટે લીધો મહત્વનો નિર્ણય, આ શહેરમાં તૈયાર કરશે આટલા બેડની કોવિડ હોસ્પિટલ.

Published on: 4:16 pm, Thu, 1 July 21

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને એક બેઠક યોજાઇ હતી. રાજકોટના વિવિધ વિકાસ કામ માટે ગાંધીનગર ખાતે હાઈ પાવર કમિટીની બેઠક યોજાઇ હતી.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકારના પ્રયત્નો સતત ચાલુ છે. તેવામાં રાજકોટમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરીયમનો ઉપયોગ 100 બેડની કામચલાવ હોસ્પિટલ ઉભી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઉપરાંત આ હોસ્પિટલની ઉભી કરવા માટે અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન આર્યમાન પોતાનો સહયોગ આપશે. રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર આવી તો હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી બનશે.

આ ઉપરાંત હાલ ની પી ડી યુ હોસ્પિટલની બેડ સુવિધાઓમાં વધારો થશે અને કોરોનાના દર્દી ને વધુ સારી સારવાર મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.

હાલમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરીયમ હાલમાં બિન ઉપયોગી હતું તેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.

ઉપરાંત આ બેઠક ની વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી એમ કે દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ચેતન રામાણી, રાજકોટના કલેકટર, નગર પાલિકાના કમિશનર, રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ઉપરાંત બીજા તમામ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ની ત્રીજી લહેર નો સામનો કરવા માટે લીધો મહત્વનો નિર્ણય, આ શહેરમાં તૈયાર કરશે આટલા બેડની કોવિડ હોસ્પિટલ."

Leave a comment

Your email address will not be published.


*