પ્રમુખસ્વામી મહારાજને આપેલા આ વચનના કારણે કે.લાલ જાદુગરે 50 લાખ રૂપિયાની ઓફર ફગાવી દીધી… જાણો શું હતું આ વચન…

Published on: 4:23 pm, Tue, 12 December 23

મિત્રો હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. તો આજે આપણે કે.લાલ જાદુગર અને પ્રમુખસ્વામી મહારાજના એક અનોખા કિસ્સા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે.લાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજ અને એક વચન આપ્યું હતું.

એક સમય હતો ત્યારે સંતો અને કે.લાલ જાદુગર ભેગા થયા હતા. આ દરમિયાન કે.લાલ જાદુગરે જણાવ્યું હતું કે, તેમને ગુટકા બનાવતી એક કંપનીએ એડ માટે ઓફર આપી છે. આ કંપની માત્ર 11 સેકન્ડની એડ માટે તેમને 25 લાખ રૂપિયા આપી રહી છે.

ત્યારે કે.લાલ જાદુગરે જણાવ્યું કે, મે આ એડ કરવાની ચોખા શબ્દોમાં ના પાડી દીધી હતી. જ્યારે આ વાતની જાણ કંપનીઓના મોટા મોટા અધિકારીઓને થઈ એટલે તેમને મને 50 લાખ રૂપિયાની ઓફર આપી હતી. ત્યારે કે.લાલ જાદુગરે 50 લાખની ઓફર ની પણ ના પાડી દીધી હતી. આ વાત સાંભળીને કંપનીના ઉચ્ચ અધિકારીઓ વિચારમાં પડી ગયા હતા.

ત્યારબાદ તેમને કે.લાલ જાદુગરને જણાવ્યું કે, શા માટે તમે આ જાહેરાત કરવાની ના પાડો છો. તમને કાંઈ મુશ્કેલી પડતી હોય તો આપણે મીટીંગ કરીને સોલ્યુશન કરી લઈએ. ત્યારે કે.લાલ જાદુગરે જણાવ્યું હતું કે, આ વાતનો કોઈ રસ્તો જ નથી. ત્યારે કંપનીના લોકોએ પૂછ્યું તેની પાછળ શું કારણ છે. ત્યારે તેમને જણાવ્યું હતું કે, હું જ્યારે એક વખત આણંદ ગયો હતો.

ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ આણંદમાં રોકાયા છે. પછી હું પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો હતો. ત્યારે મેં પ્રમુખસ્વામી મહારાજને મારો શો જોવા માટે વિનંતી કરી હતી. મારું સપનું હતું કે પ્રમુખસ્વામી મહારાજ મારો શો એક વખત જુએ.

મારી વિનંતી ના કારણે પ્રમુખસ્વામી મહારાજ સહમત થઈ ગયા હતા અને તેઓ મારો શો જોવા પણ આવ્યા હતા. પછી પ્રમુખસ્વામી મહારાજ જતા હતા ત્યારે તેમને મને કહ્યું કે, તમારો શો જોવા માટે હજારો લોકો આવે છે. જો તમે શોની અંદર લોકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરો તો ખૂબ જ સારું રહેશે. આ કારણોસર તેમને ગુટકાની એડ કરવાની ના પાડી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "પ્રમુખસ્વામી મહારાજને આપેલા આ વચનના કારણે કે.લાલ જાદુગરે 50 લાખ રૂપિયાની ઓફર ફગાવી દીધી… જાણો શું હતું આ વચન…"

Leave a comment

Your email address will not be published.


*