બાબા રામદેવ ફરીથી ચર્ચામાં, હવે બાબા રામદેવ પોતે જ વેક્સિન લેવા તૈયાર…

Published on: 11:19 am, Thu, 10 June 21

બાબા રામદેવ એલોપેથીની સારવાર સામે ઘણા સવાલ ઉઠાવ્યા હતા અને ડોક્ટરોની ઘણી ટીકા પણ કરી હતી. બાબા રામદેવ વેક્સિનેશન ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ હવે બાબા રામદેવનું હદય પરિવર્તન થયું બાબા રામદેવે કહ્યુ કે તમામને રસી લગાવી જોઈએ અને હું પણ જલ્દી રસી મુક આવીશ.

બાબા રામદેવે કહ્યુ કે લેવાથી કોરોના થી બચી શકો છો. આ ઉપરાંત બાબા રામદેવે કહ્યુ કે અમારી કોઇ સંગઠન સાથે દુશ્મની નથી. અને ડોક્ટર વિશે કહ્યું કે તમામ ડોક્ટરો ભગવાન દ્વારા ધરતી પર મોકલવામાં આવેલા ભગવાન ના દૂત છે.

બાબા રામદેવે કહ્યું કે અમારી લડાઈ દેશના ડોક્ટર સાથે નથી જે ડોક્ટરો અમારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સંસ્થાના માધ્યમથી નથી કરી રહ્યા.

આ ઉપરાંત બાબા રામદેવે કહ્યુ કે એલોપેથી ઈમરજન્સી મામલામાં અને સર્જરી માટે ખૂબ જ સારી છે. આ ઉપરાંત બાબા રામદેવે કોરોનાવાયરસ થી મૃત્યુ ના એલોપેથી સાથે જોડી એક મોટો વિવાદિત નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન બાબા રામદેવનો વિરોધ કર્યો હતો.

ઉત્તરાખંડમાં બાબા રામદેવ વિરુદ્ધ માનહાનિનો કેસ પણ કર્યો હતો. અને બાબા રામદેવને પંદર દિવસની અંદર માફી માગવાનું કહ્યું હતું. આ ઉપરાંત બાબા રામદેવે પોતાનું એલોપેથીમાં વિરોધી વેદન પાછું ખેંચ્યું અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને બાબા રામદેવ એક ચિઠ્ઠી પણ લખી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાબા રામદેવ ફરીથી ચર્ચામાં, હવે બાબા રામદેવ પોતે જ વેક્સિન લેવા તૈયાર…"

Leave a comment

Your email address will not be published.


*