અરવિંદ કેજરીવાલે બોલાવે ઈમરજન્સી બેઠક, શું દિલ્હીમાં લાગશે લોકડાઉન ?

Published on: 12:15 pm, Thu, 15 April 21

ભારત દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. અને કેટલાક રાજ્યમાં લોકડાઉન ની નોબત પણ આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં 15 દિવસનો આશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક બોલાવી એક ઈમરજન્સી મીટિંગ સુત્રો અનુસાર જાણવા મળ્યું છેે

. કે દિલ્હીમાં કોરોના ની સ્થિતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ આ મિટિંગમાં લેશે મહત્વપૂર્ણ નિર્ણય અને લોકડાઉન જેવા કડક નિયંત્રણો પણ લગાવી શકશે. આ મિટિંગમાં શહેરના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન, રાતે સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

અને રાજ્યમાં કોરોના ની સ્થિતિને કાબૂમાં લાવી તે વિશે ચર્ચા વિચારણા કરી હતી.આ ઈમરજન્સી મીટિંગ આજ 11:00 બોલાવવામાં આવી હતી.

અને અરવિંદ કેજરીવાલે રાજ્યના ઉપર રાજ્યપાલોની શહેરમાં કોરોના સ્થિતિને કાબુમાં મેળવવા માટેની ચર્ચા કરી. બુધવારે દિલ્હીમાં 17282 કેસ નોંધાયા હતા આ કેસ અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ નવા કેસો નોંધાયા છે સતત બે દિવસથી 1000 થી વધારે લોકોએ પોતાના કોરોના ના કારણે જીવ ગુમાવ્યા છે. અન્ય સમગ્ર દેશમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 14 લાખ જેટલો થઈ ગયો છે.

અને ગઈકાલે પણ દિલ્હીમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો નોંધાયા હતા તેના કારણે અરવિંદ કેજરીવાલે આ મીટીંગ નું આયોજન કર્યું હતું.

દેશમાં અત્યાર સુધી 1,40,74,564 કોરોના ના કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ ની સંખ્યા 24,29,564 લોકો કોરોના માંથી ડિસ્ચાર્જ થયા છે. અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ 14,71,877 છે.

અને દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,73,121 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે. સમગ્ર દેશમાં કોરોના ની સ્થિતિ ખૂબ જ વધી રહી છે તેના કારણે નરેન્દ્ર મોદીએ રાજ્યપાલો સાથે પણ મિટિંગ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરવિંદ કેજરીવાલે બોલાવે ઈમરજન્સી બેઠક, શું દિલ્હીમાં લાગશે લોકડાઉન ?"

Leave a comment

Your email address will not be published.


*