ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય જાણો શું છે આ મહત્વપૂર્ણ નિર્ણય?

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં મગફળીના પ્રતિ મણ દીઠ 1055 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી વૃત્તિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, તે માટે હર હંમેશની જેમ ગુજરાત સરકાર ખેડૂતોના પડખે ઉભી રહી છે.

જે ખેડૂતોના ઉભા પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું છે, તેઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ સહાય કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે.આપણે જમહત્વપૂર્ણણાવી દઈએ કે ચોમાસાની શરૂઆતથી સમગ્ર રાજ્યભરમાં વરસાદ પોતાનું મન મૂકીને વરસી રહ્યો છે.

ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતાં સરકારે તેમને રાહત આપવા માટે સહાયની જાહેરાત કરી હતી. રાજ્યમાં નુકસાન થયેલા ઉભા પાકનો સર્વે થયા બાદ ખેડૂતોને સરકાર દ્વારા રાહત આપવામાં આવશે.

સરકારનો આ નિર્ણય ખેડૂતલક્ષી હોવાથી રાજ્યના ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*