સુરતમાં કોરોનાવાયરસ ના કેસો વધતા મોલને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો વિગતે.

Published on: 10:22 am, Sun, 7 March 21

સુરતમાં ફરી કોરોનાવાયરસ ના કેસો વધતા મોલ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શનિ અને રવિવારના દિવસે મોલ બંધ રાખવામાં આવશે. આ અંગે પાલિકા દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે અને ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલ પણ બંધ રહેશે. હાલ સુરતમાં પ્રતિદિવસ 100 થી વધુ કેસ નોંધાતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અને કોરોના ના કેસ વધતા મહાનગરપાલિકા પણ કામે લાગ્યું છે.મહાનગરપાલિકા દ્વારા લોકોને કોરોના મારીના રિપ્લે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને નવા કોરોના ના સ્ટ્રેન બાદ મહાનગરપાલિકા એલર્ટ પર છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે.

કે યોગ્ય રીતે માસ્ક પહેરો કારણકે હજી કોરોના ગયો નથી. સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે પોતાની ટીમ વધારી છે.

અને એક્ટિવ સર્વેલન્સ માં 5.26 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વેની કામગીરીમાં વધારો કર્યો છે અને એક્ટિવ સર્વેલન્સ માટે 1210 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને એક્ટિવ સર્વેલન્સ માં 5.26 લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં કોરોનાવાયરસ ના કેસો વધતા મોલને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*