માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે થયું અકસ્માત, અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ…

Published on: 11:15 am, Tue, 31 August 21

આ દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતમાં એક જણાંએ બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ક્યારેક એવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના રાજસ્થાની છે. ત્યારે રાજસ્થાનમાં આજે વહેલી સવારે નાગોર સ્થિત શ્રી બાલાજી પાસે એક અકસ્માત થયું છે.

આ અકસ્માતના મધ્યપ્રદેશના 11 લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત 7 લોકો ઈજાગ્રસ્ત છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત નોખા બાયપાસ રોડ પર થયું છે. આ અકસ્માત એક તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે થયું છે.

અકસ્માતના કારણે હાઇવે રોડ પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખેડા અને દોલતપુર ગામના રહેવાસી હોવાની જાણ થાય છે. અકસ્માત દરમિયાન 8 મહિલાઓ અને 3 પુરુષ ના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર તુફાન જીપ લઈને 18 લોકો દેશનોક કરણી માતાનાં દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તુફાન જીપ નો અકસ્માત એક ટ્રેલર સાથે થયું હતું.

મળતી માહિતી મુજબ સામેથી આવતા ટ્રેલરે જીપને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતી વખતે 3 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત થતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108ને આ અકસ્માતની જાણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે થયું અકસ્માત, અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*