શિયાળાની ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,આગામી સમયમાં…

Published on: 9:26 am, Sun, 27 December 20

કોરોના મહામારી વચ્ચે ઠંડી ને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 27 થી 30 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર વધશે અને ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે.ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નીચે જવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.તો 28 થી 29 ડિસેમ્બરના અમદાવાદ, ગાંધીનગર લઘુતમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ નોંધાશે.

તેમજ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની અંબાલાલ પટેલ એ આગાહી વ્યક્ત કરી છે.જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ અને અરબી સમુદ્રમાં એક લો પ્રેસર સર્જાવાથી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થવાના.

કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને જેને લઇને જીરુંના પાકને વિપરિત અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ ઉત્તરાયણના તહેવાર ની આસપાસ ભારે ઠંડીનો અહેસાસ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શિયાળાની ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,આગામી સમયમાં…"

Leave a comment

Your email address will not be published.


*