બજરંગદાસ બાપાના ધામે આવતા તમામ ભક્તોને સાવ મફત ભોજન ની સુવિધા આપવામાં આવે છે…મિત્રો અહીં આવેલા રસોડાના ફોટા જોઈને અક્કલ કામ નહીં કરે…

Published on: 12:20 pm, Sat, 17 September 22

મિત્રો એવું માનવામાં આવે છે કે, 9 જાન્યુઆરી 1977 રોજ બજરંગદાસ બાપા સવારે બ્રહ્મલીન થયા હતા અને આ દિવસે વિક્રમ સવંતને ચોથી ની તીજ હતી. ત્યારથી દર વર્ષે અહીં ઉજવણી કરવામાં આવે છે. મિત્રો બજરંગદાસ બાપા એવું જીવન જીવી ગયા છે કે લોકો હજુ પણ તેમની પાસેથી ઘણી બધી પ્રેરણા લે છે.

બજરંગદાસ બાપાના જીવન પરથી હજુ પણ આપણને કંઈકને કંઈક નવું શીખવા મળે છે. આજ કારણસર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ લોકો બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે બગદાણા આવે છે. મિત્રો જે પણ લોકો બગદાણા જાય છે તે લોકોને ત્યાં એક અનોખી શાંતિનો અહેસાસ થાય છે.

બજરંગદાસ બાપાની ભક્તિની અંદર લોકો એટલા બધા લઈને થઈ ગયા હતા કે સૌરાષ્ટ્રના મોટેભાગના ગામડામાં બજરંગદાસ બાપાની પૂજા કરવામાં આવે છે. મિત્રો ગુજરાતના મોટેભાગના ગામની વચોવચ બજરંગદાસ બાપાની મઢુલી તમને જોવા મળશે. બજરંગદાસ બાપાને બાપા સીતારામના નામથી પણ ઓળખવામાં આવે છે.

બજરંગદાસ બાપાની જીવનની વાતો કરીએ તો, ભાવનગર જિલ્લાની અંદર આવેલા વાડા ગામની અંદર હરિદાસ તથા શિવકુંવરબાના ઘરે વર્ષ1906માં પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. બજરંગદાસ બાપાનો જન્મ રામનંદી સાધુ ના ઘરે થયો હોવાથી તેમનું આખું બાળપણ લોકો ભક્તિ રામ તરીકે ઓળખતા હતા.

માત્ર 11 વર્ષની ઉંમરે બાપાએ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હતી અને ભક્તિમાં લીન થઈ ગયા હતા.  ભક્તિ રામ જ્યારે દક્ષિણા લઈને સીતારામ બાપુ ની પાસે ગયા ત્યારે તેઓએ જણાવ્યું કે તમે તો ગુરુ અવતાર છો. મારે તમને આપવાનું હોય નહીં. તે સમયે ભક્તિ રામે જણાવ્યું હતું કે, જો તમે મને કાંઈ આપવા માગતા હોય તો એવું કંઈક આપો કે મારા મુખે રામનું રતન હંમેશા ચાલતું રહે.

તે સમયે સીતારામ બાપુએ તેમને નવું નામ કહ્યું બજરંગી તથા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની અંદર તમને બજરંગદાસના નામથી ઓળખવામાં આવશે.  તેમના ગુરુ પાસેથી જ્ઞાન લઈને બજરંગદાસ બાપાએ જ્યારે પરિભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે બજરંગદાસ બાપા બગદાણા ગામમાં આવ્યા હતા. બાપાને આ ગામની સુંદરતા અને અહીંના માણસો એટલા પસંદ આવી ગયા કે બાપા કાયમ માટે અહીં રોકાઈ ગયા.

પછી બજરંગદાસ બાપા એ 1951માં અહીં આશ્રમની સ્થાપના કરી હતી. 1959માં બજરંગદાસ બાપા એ અહીં ભોજનની સુવિધાઓ ચાલુ કરી હતી. ત્યાર પછી અહીં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. મંદિરના નિર્માણની અંદર આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી ભગવાન શિવજી અને પાર્વતીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. મિત્રો આજે બગદાણા ની અંદર ધર્મશાળા છે જેમાં 100 રૂમ છે અને અહીં 24 કલાક રહેવાની સુવિધા ઉપલબ્ધ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બજરંગદાસ બાપાના ધામે આવતા તમામ ભક્તોને સાવ મફત ભોજન ની સુવિધા આપવામાં આવે છે…મિત્રો અહીં આવેલા રસોડાના ફોટા જોઈને અક્કલ કામ નહીં કરે…"

Leave a comment

Your email address will not be published.


*