અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતને લઈને રાજભા ગઢવીએ આપ્યું નિવેદન, કહ્યું કે “BMW વાળો જામીન પર અને ગ્રીષ્માનો જીવ લેનાર જેલમાં મોજ…”

Published on: 4:39 pm, Sat, 22 July 23

મિત્રો અમદાવાદ શહેરમાં ઇસ્કોન ઓવરબ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં નકામી બાપની નકામી ઓલાદના કારણે 9 માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નવ નવ લોકોનો જીવ લઈ લીધો છતાં પણ આરોપી તથ્ય પટેલને જરાક પણ શરમ નથી. આવા નપાવટને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માંગ કરી રહ્યા છે.

ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તો ચાલો જાણીએ રાજભા ગઢવી આ મામલા પર શું કહ્યું. રાજભા ગઢવી અમદાવાદમાં ઇસ્કોન ઓવરબ્રિજ પર બનેલી ઘટના વિશે જણાવ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાયક છે.

મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. આજના દીકરા દીકરીઓ બહાર જતા હોય છે. ત્યારે માતા પિતાને પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. દીકરા દીકરી ક્યાં જાય છે આ વાતનું માતા-પિતાને ધ્યાન રાખવું જોઈએ.

વધુમાં રાજભા ગઢવીએ જણાવ્યું કે, અગાઉ પણ બે લોકોને ઉડાવનાર BMW વાળો આજે જામીન પર ફરી રહ્યો છે, ગ્રીષ્માનો જીવ લેનાર જેલમાં મોજ કરી રહ્યો છે. આવી અનેક ઘટનાઓ બની રહે છે. બુદ્ધીજીવી માણસો ચૂપ રહે તે યોગ્ય ન કહેવાય. જો યુપીમાં આવી કંઈક ઘટના બને તો સીધું બુલડોઝર ફેરવી દેવાય છે. તે પણ આપણા ભારતનો ભાગ છે. યુપી જેવી કામગીરી બધે થવી જોઈએ.

વધુમાં રાજભા ગઢવીએ જણાવ્યું કે વિદેશમાં કાયદા કેવા છે તેવા કાયદા ભારત દેશમાં હોવા જોઈએ. પૈસા હોય એટલે બધું પોતાનું જ સમજવું તે ન ચાલે. બાળકો કાફેમાં બેસે અને માતા-પિતા કહે મિત્ર સાથે ગયો છે. આપણા બાળકોની જવાબદારી આપણી હોય છે આવું રાજભા ગઢવીએ જણાવ્યું હતું. હાલમાં તો આ ઘટનાની ચર્ચા ગુજરાતના ખૂણે ખૂણે ચાલી રહી છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ ઘટનાને આરોપીને કડકમાં કડક સજા મળે છે કે નહીં.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક વિડીયો બનાવીને આરોપીને તરફેણમાં બોલી રહ્યો છે. આ વ્યક્તિ માટે પણ એક જ સવાલ છે, જો આ અકસ્માતની ઘટનામાં તારા મા-બાપ કે તારા ભાઈ બહેન મરી ગયા હોત તો પણ તું આ રીતે જ નિવેદન આપેત..?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતને લઈને રાજભા ગઢવીએ આપ્યું નિવેદન, કહ્યું કે “BMW વાળો જામીન પર અને ગ્રીષ્માનો જીવ લેનાર જેલમાં મોજ…”"

Leave a comment

Your email address will not be published.


*