ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો વિગતે.

Published on: 9:35 pm, Sun, 11 July 21

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ઉપરાંત તેઓ આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં જોડાયા છે. ઉપરાંત તેઓ બીજા અન્ય કાર્યક્રમનું લોકાપણ કરશે. ગુજરાતમાં અમિત શાહની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ ગુજરાત આવશે.

આ ઉપરાંત 16 જુલાઈ તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસના કામ ના લોકાપણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશન હોટલ નું પણ લોકાર્પણ કરશે.

અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા અનેક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમિત શાહની સાથે શહેરના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, શહેરના મેયર અને ચેરમેને પણ હાજરી આપી હતી.

અગાઉ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે બે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આજે 244 કરોડના વિકાસના કામનું લોકાર્પણ કર્યું હતું.

ઉપરાંત જેમાં તેમણે સિવિક સેન્ટર પણ આજથી ખુલ્લું મૂક્યું છે.આ ઉપરાંત ગુજરાતમાં પાંચ હજાર કરોડના ખર્ચે એક લાખ ઓક્સિજન બેડ ઉભા કરાયા છે.

આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ના કારણે છત્રછાયા ગુમાવનાર બાળકને મહિને 4000ની સહાય આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી. આ સહાય બાળકને 21 વર્ષ સુધી આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*