બે વર્ષના અફેર બાદ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા, લગ્નના પાંચ કલાક બાદ બન્યું કંઈક એવું કે…યુવતીનું કરુણ મૃત્યુ…

Published on: 5:12 pm, Fri, 2 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના 5 કલાક બાદ એક દુલ્હનનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર બે વર્ષના અફેર પછી યુવતીએ ગુરુવારના રોજ સાંજે મંદિરમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવતી પોતાના પતિ સાથે સાસરે પહોંચી હતી. ત્યારે અચાનક જ તેની તબિયત લથડી હતી. આ વાતની જાણ યુવતીના પતિએ યુવતીના પરિવારજનોને કરી હતી.

યુવતીના પરિવારજનો હોસ્પિટલ પહોંચે તે પહેલા તો યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ વાત સાંભળીને યુવતીના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મૃત્યુ પામેલી યુવતી સાત મહિનાની ગર્ભવતી હતી. મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જીવ લેવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને મૃત્યુ પામેલી યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના રામપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 19 વર્ષીય રાજેશ્વરી કેમરી વિસ્તારના ગડિયા પજાવા ગામમાં રહેતી હતી. તેણીના પિતરાઈ ભાઈનું નામ રવિ છે. જેની સાથે રાજેશ્વરીએ લગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર રવિ અને રાજેશ્વરીનું છેલ્લા બે વર્ષથી અફેર ચાલતું હતું. રવિ અને રાજેશ્વરી વચ્ચે શારીરિક સંબંધ બંધાઈ ગયા હતા. જેના કારણે રાજેશ્વરી ગર્ભવતી બની ગઈ હતી.

પરંતુ યુવતીના પરિવારના લોકોને આ ઘટનાની જાણ ન હતી. બંને ઘણી વખત લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. પરિવારના સભ્યોને આ વાત કહેવાની બંનેની હિંમત ચાલતી ન હતી. રાજેશ્વરી ગર્ભવતી હતી તેથી તેને છુપાવી શકાય નહીં. તેથી રાજેશ્વરીએ આ વાત તેની માતાને કરી હતી. આ વાતની જાણ થતા જ રાજેશ્વરીના ઘરમાં હોબાળો બચી ગયો હતો.

ત્યારબાદ રાજેશ્વરીએ રવિ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પહેલા તો બંનેના પરિવારના લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરંતુ બદનામીના ડરના કારણે બંનેના પરિવારજનોએ લગ્ન કરવાની હા પાડી દીધી હતી. આ પછી બંને ગુરૂવારના રોજ સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યાં બંનેના સગા સંબંધીઓ ઉપસ્થિત હતા.

યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે, રાત્રે 9:00 વાગ્યાની આસપાસ રાજેશ્વરીના પતિ રવિ નો ફોન આવ્યો હતો કે રાજેશ્વરી ની તબિયત ખરાબ છે. જેથી તેને લઈને અમે હોસ્પિટલ જઈ રહ્યા છીએ. થોડીક વાર પછી રવિનો પાછો ફોન આવ્યો કે રાજેશ્વરીનું મૃત્યુ નીપજ્યું છે. રાજેશ્વરીનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે વર્ષના અફેર બાદ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કર્યા, લગ્નના પાંચ કલાક બાદ બન્યું કંઈક એવું કે…યુવતીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*