લગ્નના 8 વર્ષ બાદ પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ઝેરી દવા પીને સુસાઇડ કર્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 5:00 pm, Sun, 12 November 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ લગ્નના આઠ વર્ષ પછી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈનો આરોપ છે કે, યુવકે તેની પત્ની અને તેના પત્નીના પરિવારજનોથી કંટાળીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના સિકરમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ રામનિવાસ હતું. રામનિવાસના આઠ વર્ષ પહેલા સુનીતા નામની મહિલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સુનિતા અને રામનિવાસ સીકરમાં રહેવાનું શરૂ કર્યું હતું.

અહીં રામનિવાસ એક સલુન ચલાવતો હતો. છેલ્લા બે ત્રણ મહિનાથી રામનિવાસને તેની પત્ની સુનિતા, સસરા અને અન્ય લોકોએ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ રામનિવાસને પરેશાન કરીને તેને ઘરની બહાર પણ કાઢી મૂક્યો હતો.

એટલું જ નહીં પરંતુ સુનિતાએ પોતાના પરિવારજનો સાથે મળીને રામનિવાસની કાર અને તેનો પાસપોર્ટ લઈ લીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા રામનિવાસના ભાઈનું આરોપ છે કે, રામનિવાસે તેની પત્ની અને સાસરિયાઓથી કંટાળીને આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 8 વર્ષ બાદ પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ઝેરી દવા પીને સુસાઇડ કર્યું… જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*