લગ્નના 5 મહિના બાદ પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે…

Published on: 11:58 am, Sun, 1 May 22

શનિવારના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારના રોજ એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકને પોતાની પત્ની સાથે માથાકુટ થઇ હતી. માથાકૂટ થયા બાદ પતિએ ગળાફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર બંન્નેનાં લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા.

યુવકના મૃત્યુની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ મેરઠમાં બની હતી.

21 વર્ષીય ચેતન નામના યુવકના લગ્ન પાંચ મહિના પહેલા બિહારમાં રહેતી યુવતી સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન બાદ નશો કરવાના બાબતે યુવકની તેની પત્ની સાથે દરરોજ માથાકૂટ થતી હતી. ત્યારે શનિવારના રોજ યુવક અને તેની પત્ની વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ ગઇ હતી.

ત્યારબાદ યુવકની પત્ની પોતાના પડોશીના ઘરે ગઈ હતી. ત્યારે પત્ની ઘરે પરત ફરી ત્યારે પંખા સાથે પોતાના પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ ચેતન અને તેની પત્ની વચ્ચે માથાકુટ થઇ હતી. શનિવારે પણ બંને વચ્ચે માથાકૂટ થાય અને માથાકૂટ થયા બાદ ચેતને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 5 મહિના બાદ પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*