લગ્નના 17 દિવસ બાદ પતિએ ધારદાર વસ્તુઓ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે…

Published on: 12:52 pm, Sun, 11 June 23

હાલમાં બે-ત્રણ દિવસ પહેલા બનેલી એક ચોકાવનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં લગ્નના 17 દિવસ બાદ પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર 7 જૂનના રોજ પોલીસે ધારદાર વસ્તુ વડે પત્નીનો જીવ લેનાર આરોપી પતિને કસ્ટડીમાં લઈ લીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે લગ્ન કરવા ઈચ્છતો ન હતો, પરંતુ પરિવારના સભ્યો દબાણ કરતા હતા એટલે તેને લગ્ન કર્યા હતા.

5 જૂનના રોજ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને એવી ચિંતા સતાવી રહી હતી કે તે પોતાની પત્નીને હવે કેવી રીતે સાચવશે. એટલા માટે તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહી છે. અહીં વિક્રમ નામના વ્યક્તિના લગ્ન 21 મેના રોજ અંજલી નામની યુવતી સાથે થયા હતા.

લગ્નના 17 દિવસ બાદ વિક્રમ એ પોતાની પત્ની અંજલીનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આરોપી વિક્રમને હાથના અને પેટના ભાગે ઇજા પહોંચી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી અંજલીના પરિવારના સભ્યોએ અંજલીના પતિ અને તેના સાસરિયાંઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 જૂનના રોજ રાત્રિના સમયે અંજલીએ તેના પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે, તમે મને લેવા આવો. મારા સાસરિયાંઓ મને પરેશાન કરે છે. મોડી રાતે અજલીએ ફોન કર્યો હતો તેથી પરિવારના સભ્યોએ કહ્યું કે તને સવારે લેવા આવશે. મળતી માહિતી અનુસાર બીજા દિવસે અંજલીનો ભાઈ તેને લેવા માટે તેના ઘરે જવા માટે નીકળ્યો હતો.

જ્યારે ભાઈ પોતાની બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તરત જ બૂમનો અવાજ પડ્યો હતો. તેથી ભાઈ ઘરના ઉપરના માળે ગયો ત્યારે ત્યાં બહેનના પતિના હાથમાં ધારદાર વસ્તુઓ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં બહેન રૂમમાં પડેલી હતી. ત્યારબાદ બહેનને પરિવારજનોને ફોન કરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ભાઈ પોતાની બેન અંજલીને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 17 દિવસ બાદ પતિએ ધારદાર વસ્તુઓ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*