ભાવનગરમાં માતા અને પુત્રી પર પિસ્તોલ વડે પ્રહાર કરનારો આરોપી હજુ પણ ફરાર, સારવાર દરમિયાન માતા અને પુત્રીનું મૃત્યુ…

Published on: 3:08 pm, Mon, 4 April 22

ભાવનગરમાં 31 માર્ચના રોજ શેલારશા ચોક પાસે આવેલી સવાઈગરની શેરીમાં પડોશી વચ્ચે થયેલી માથાકૂટમાં એક પડોશીએ માતા અને પુત્રી પર પિસ્તોલથી પ્રહાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રીનું મૃત્યુ થયું હતું. ત્યારે આજરોજ મોડી રાત્રે માતાએ પણ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સવાઈગરની શેરીમાં રહેતા અને રિક્ષા ચલાવતા અનવરઅલી પ્યારઅલી વાઢીયાળીયાએ પોતાના મકાનના રીનોવેશન ની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન રેતી સિમેન્ટ ઘરની બહાર શેરીમાં મુક્યા હતા. આ મામલે અનવરઅલીના પરિવારને પડોશમાં રહેતા કરીમ શેરીઅલી સાથે માથાકૂટ થઇ ગઇ હતી.

માથાકૂટ એટલી વધી ગઈ કે પડોશીએ પિસ્તોલ વડે અનવર અલીની પત્ની અને પુત્રી પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પત્ની ફરીદાબહેન અને પુત્રી ફરિયલને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. શનિવારે સારવાર દરમિયાન ફરિયલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે રવિવારના રોજ સારવાર દરમિયાન ફરીદાબહેન પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના પાંચ દિવસ થઈ ગયા છતાં પણ હજુ આરોપી પકડાયો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં માતા અને પુત્રી પર પિસ્તોલ વડે પ્રહાર કરનારો આરોપી હજુ પણ ફરાર, સારવાર દરમિયાન માતા અને પુત્રીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*