‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો

Published on: 6:14 pm, Sat, 3 September 22

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર કેપીંગ નો પ્રારંભ કર્યો છે. આ કેમ્પેન દરમિયાન અરવિંદ કેજરીવાલ રાજકોટના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને આમ આદમી પાર્ટીની ગુજરાતની જનતાને ગેરંટી કાર્ડ આપશે જેમાં ગુજરાતની જનતાને

ખાતરી આપવામાં આવશે કે આવા આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ જે કાંઈ ગેરંટી આપી છે તમામ ગેરંટી પાંચ વર્ષમાં પૂરી કરશે.રાજકોટમાં લોકો અરવિંદ કેજરીવાલનું સરસ મજાનું સ્વાગત કર્યું હતું અને કેજરીવાલને મળીને લોકો પ્રભાવિત થયા હતા તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં એક એવા મુખ્યમંત્રી જે લોકોની વચ્ચે જઈને લોકોની

વાત સાંભળે છે અને લોકો પોતાની વાત તેમને કહે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે પરંતુ તેમની સાદગી અને સ્વભાવના કારણે રાજકોટની જનતા તેમને મળીને ખૂબ જ ખુશ થઈ હતી.કારણ કે અત્યાર સુધી ગુજરાતની જનતાએ જોયું છે કે મોટા નેતાઓ મંત્રી ધારાસભ્ય સાંસદો ક્યારે પણ જનતાની વચ્ચે જઈને તેમની સાથે વાતચીત નથી

કરી ત્યારે રાજકોટની જનતાએ પરિવર્તનો ચહેરો જોયો છે અને લોકો સાથે વાતચીત કરવા અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદારી પાર્ટી છે ને જો તમે ઈમાનદારી પાર્ટી સાથે કામ કરશો તો સરકારના ઘણા પૈસા બચશે અને આ બચેલા પૈસાથી લોકોને ઘણી બધી સુવિધાઓ આપી શકાશે.

ગુજરાતની પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગાર લોકોને રોજગારી આપીશું અને જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું.10,00,000 નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશુ જેમાં દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો"

Leave a comment

Your email address will not be published.


*