એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર કરનાર, સાજન ભરવાડનો કેસ લેનાર વકીલ સામે વકીલ મંડળે ભર્યા એવા પગલાં કે…તમે જ કહો કે આ સાચું છે કે ખોટું..!

Published on: 6:16 pm, Sat, 3 September 22

મિત્રો આજથી થોડા દિવસો પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એડવોકેટ મેહુલ બોધરાના માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે હાલમાં સાજન ભરવાડના વકીલ સામે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર વકીલ મંડળે એવો નિર્ણય લીધો હતો કે કોઈપણ વકીલ સાજન ભરવાડ નો કેસ નહિ લડે.

પરંતુ મનીષ ઝવેરી નામના વકીલ સાજન ભરવાડનો કેસ લડવા માટે તૈયાર થયા હતા. આ વાતની જાણ થતા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ મનીષ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોપી સાજન ભરવાડ ની જામીનની અરજી ચલાવતા મનીષ ઝવેરીએ પોતાનું વકીલ પત્ર રજૂ કર્યું હતું. શુક્રવારના રોજ સભા બોલાવવામાં આવી હતી અને ગુરૂવારના રોજ મનીષ ઝવેરીને નોટિસ પાઠવી હતી. ત્યારે એડવોકેટ મનીષ ઝવેરીએ પોતાનો જવાબ પણ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર 20 ઓગસ્ટના રોજ સાજન ભરવાડના કોટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા આ કેસ માટે સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પરંતુ કોટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર કરનાર, સાજન ભરવાડનો કેસ લેનાર વકીલ સામે વકીલ મંડળે ભર્યા એવા પગલાં કે…તમે જ કહો કે આ સાચું છે કે ખોટું..!"

Leave a comment

Your email address will not be published.


*