‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાજી આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે પધારશે.

Published on: 4:33 pm, Fri, 30 September 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આવતીકાલે એક ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પધારી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાત લેશે.

આ ઉપરાંત તેમની સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને રાજ્ય સભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચડ્ડા પણ ગુજરાત વધારી રહ્યા છે. વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે, આવતીકાલે એક ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જંગી જનસભાને સંબોધિત કરશે. ગાંધીધામના ડીટીપી એક્સિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12 વાગ્યાની આસપાસ સભાને સંબોધિત કરવામાં આવશે.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢના જોશપુરમાં ખલીલપુર રોડ પરના ખોડલ આમ ખાતે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક મોટી જન સભાને સંબોધિત કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજકોટમાં રાત્રે રોકાશે. 2 ઓક્ટોબર ના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાજી આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે પધારશે."

Leave a comment

Your email address will not be published.


*