માતાએ પોતાની 3 વર્ષની માસુમ દિકરી સાથે ગળાફાંસો ખાઈ લીધો, આમાં માસુમ દીકરીનો શું વાંક? જાણો સમગ્ર ઘટના

Published on: 4:19 pm, Fri, 30 September 22

આજકાલ જીવ ટુંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં માતા પોતાના બાળક સાથે સુસાઇડ કરી લેતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની 3 વર્ષની દીકરી સાથે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ માહિતી સામે આવી નથી અને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થઈ ગઈ હતી જેના કારણે તેને આ પગલું ભર્યું હશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. આ ઘટના ગુરૂવારના રોજ ભોપાલમાં બની હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલી મહિલા એક બ્યુટીશિયશન હતી. તેનો પતિ ITI માં શિક્ષક છે. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ મહિલા અને તેની દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ ઘરમાં સૂતો હતો. તેને આ વાતની જરાક પણ ખબર ન હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી તપાસ દરમિયાન પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ વર્ષા રાવત હતું અને તેની ત્રણ વર્ષની માસુમ દીકરીનું નામ પ્રશ્વી હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઘટનાના દિવસે રાત્રે વર્ષા રાવત અને તેના પતિ રાજેન્દ્ર રાવત વચ્ચે ઝઘડો થયો હતો. રાજેન્દ્ર રાવત પોતાની પત્ની અને દીકરી સાથે કટારા હિલ્સ LIG-8 રહેતા હતા.

અંદાજે ત્રણ મહિના પહેલા વર્ષા તેની દીકરી સાથે પોતાના માતાની પાસે રૂપનગરમાં રહેવા આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને પડોશીઓએ જણાવ્યું કે, તેઓએ સવારે સાત વાગ્યાની આસપાસ વર્ષાને જોઈ હતી. વર્ષાએ તેમને પૂછ્યું હતું કે, શું કચરાવાળો ચાલ્યો ગયો? ત્યારે પડોશી એ કહ્યું કે તે તો ઘણા સમય પહેલા જ નીકળી ગયો. ત્યારબાદ વર્ષાને પાણી ભરવાનું હતું.

વર્ષાની માતા મોટી દીકરીના ઘરે ગઈ હતી. સવારે 9:00 વાગ્યાની આસપાસ વરસાની માતા ઘરે આવે છે ત્યારે. ઘરનો અંદરનો નજારો જોઈને તેના હોશ ઉડી ગયા હતા. ઘરમાંથી તેની દીકરી વર્ષા અને પૌત્રી પ્રશ્વીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

તેઓ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. વર્ષા એ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ પોતાની 3 વર્ષની માસુમ દિકરી સાથે ગળાફાંસો ખાઈ લીધો, આમાં માસુમ દીકરીનો શું વાંક? જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*