આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરોમાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબી શ્રદ્ધાંજલિ આપી.

Published on: 9:26 pm, Mon, 31 October 22

બેસતા વર્ષના દિવસે મોરબીનો ઝુલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થનારા લોકોની સંખ્યાનો આંકડો 150 થી પણ વધારે છે. તે ઘટના પ્રત્યે અને આ ઘટનામાં પોતાના પરિવારજનોને ગુમાવી દેનાર પરિવારને આમ આદમી પાર્ટીની અત્યંત સહાનુભૂતિ છે.

મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા માટે આજે આખા દિવસ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા દરેક રાજકીય કાર્યો રદ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પણ આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તે અનુક્રમે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જાહેર જનતા સાથે મળીને અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા અને ગાંધીનગર સાથે દરેક શહેરોમાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. આ કેન્ડલ માર્ચના માધ્યમથી આમ આદમી પાર્ટી એ પીડિત અને મૃતકના પરિવારજનોને સંવેદના, સહાનુભૂતિ અને આશ્વસન વ્યક્ત કર્યું.

આ કેન્ડલ માર્ચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના મોટા નેતા આપના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને અન્ય કાર્યકર્તાઓ સાથે ભાગ લીધો અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરોમાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબી શ્રદ્ધાંજલિ આપી."

Leave a comment

Your email address will not be published.


*