ગુજરાત માટે આશાનું કિરણ બનીને, ભરોસાનું કેન્દ્ર બનીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ આવે છે : ગોપાલ ઇટાલીયા

Published on: 6:03 pm, Sat, 22 October 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર દિવસેને દિવસે જબરદસ્ત દમદાર વિકલ્પ તરીકે સ્થાપિત થઈ રહી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની જે ગેરેન્ટીઓ છે 300 unit વીજળી ફી, દરેક બાળકોને શાનદાર સરકારી શિક્ષણ મફત, દરેક માટે મફતમાં આરોગ્યની વ્યવસ્થા, ભ્રષ્ટાચાર નાબૂદ, યુવાનો માટે દસ લાખ સરકારી નોકરીઓ, મહિલાઓ માટે દર મહિને હજાર રૂપિયાની સન્માન રાશિ અને આદિવાસી સમાજ માટે પેસા કાનૂન અને અનુસૂચિત પાંચની અમલવારી અમે આ તમામ ગેરંટીઓ સમાજના તમામ વર્ગ સુધી પહોંચાડતા પહોંચાડતા જનતા સુધી એક વાત ખૂબ જ મજબૂતાઈથી પહોંચી છે કે અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરી બતાવે છે.

વધુમાં વાત કરતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે, જેવી રીતે પંજાબની અંદર અરવિંદ કેજરી વાલે ચૂંટણીના સમયે ગેરેંટી આપેલી કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે અને ગઈકાલે જ પંજાબમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરીને આખા દેશના સરકારી કર્મચારીઓની અંદર એક નવી આશા જગાવી છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરી બતાવે છે. આખા દેશની જનતાને આવા આદમી પાર્ટી પર વિશ્વાસ છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે જેમ જેમ અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ લોકો સુધી પહોંચે છે, ત્યારે લોકો સામે ચાલીને ખુશ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિવસેને દિવસે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં પરિવર્તન લાવવાની મુહીમ છે તે મુહિમના સૈનિકો બની રહ્યા છે.

વધુમાં ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ભાજપ એ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની જનતાના મેન્ડેટનું શોષણ કર્યું છે. જનતાએ વારંવાર ભાજપને પ્રેમ આપ્યો અને ભાજપે વારંવાર જનતાનું શોષણ કર્યું. જેમાં શિક્ષકનું ખાનગીકરણ હોય કે સરકારી આરોગ્ય વ્યવસ્થાનું ખાનગીકરણ હોય કે વાહન વ્યવહાર સેવાનું ખાનગીકરણ હોય, દરેક જગ્યાએ એમની મળતીયાઓએ એમની કંપનીઓ વચ્ચે લાવીને જનતા નું શોષણ કરવા માટેની વ્યવસ્થાઓ ઉભી કરી છે. ત્યારે ગુજરાત માટે આસાનુ કિરણ બનીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાત માટે આશાનું કિરણ બનીને, ભરોસાનું કેન્દ્ર બનીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ આવે છે : ગોપાલ ઇટાલીયા"

Leave a comment

Your email address will not be published.


*