વલસાડની એક યુવતીએ ટ્રેનના ડબ્બામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો સમગ્ર મામલો

Published on: 10:45 pm, Thu, 4 November 21

વલસાડ રેલવે સ્ટેશન પરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વલસાડ રેલવે સ્ટેશન પર ગઇકાલે મોડી રાત્રે અમદાવાદથી આવેલી ગુજરાત કવિન ટ્રેનના D-12 ના કોચમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ રેલવે સ્ટેશન પર ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવિન ટ્રેનમાં સફાઈ કામદારે D-12 કોચમાં એક અજાણી યુવતીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. આ દૃશ્ય જોતાં જ કામદારે તાત્કાલિક સ્ટેશન માસ્ટર અને GRPને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી પાસે રેલ્વે ની ટિકિટ કે કોઈપણ વસ્તુ ન મળી હતી.

યુવતી પાસેથી મળેલા ફોન પરથી યુવતીની ઓળખાણ થઈ હતી. પોલીસે પરિવારને બોલાવી ને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર નવસારી ભક્તિનગર, જલારામ બાપા ના મંદિર ની બાજુમાં રહેતી 18 વર્ષીય માનસી શીતાપ્રસાદ ગુપ્તા બરોડામાં કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

આ ઉપરાંત તે એક સામાજિક સંસ્થામાં ફેલોશીપ કરતી હતી. મળતી માહિતી અનુસાર યુવતી પાંચ દિવસ અગાઉ બરોડા થી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. ત્યારે ગઇકાલે રાત્રે તેને તેની માતાને જણાવ્યું હતું કે તે સંસ્થાના કામથી મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા માટે જાય છે.

તેની પોતાની માતાની એક દિવસ ત્યાં રોકાઈને ઘરે પરત આવવાનું કહ્યું હતું. ત્યારે બીજા દિવસે ફાંસીએ ગુજરાત કવીન ટ્રેનના D-12 નંબર 12 ના કોચમાં સામાન મૂકવાની જગ્યા એ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 12:30 વાગે ટ્રેન રેલવે સ્ટેશન પર ખાલી થઈ ગઈ હતી.

ત્યારબાદ ટ્રેન ની સફાઈ કરવા માટે રહેલા એક કર્મચારીએ માનસીને ગળાફાંસો ખાઇ ગયેલી હાલતમાં જોઇ હતી. ત્યારબાદ કર્મચારી આ સમગ્ર ઘટનાને લઇને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી માનસીના પિતાએ જણાવ્યું કે માનસી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. આ ઉપરાંત તે સંસ્થા માટે કામ કરતી હતી અને તેમાં લોકોને વિદ્યાર્થીઓને ખોટું પગલું ન કરવા માટે સમજાવતી હતી અને જીવન ટૂંકાવવા નહીં તે માટે લોકોને જાગૃત કરતી હતી.

ત્યારે લોકોને પોતાનું જીવન ન ટૂંકુ કરવું તેવું શીખવાડનારી માનસી એ જ આ પ્રકારનું પગલું ભર્યું હતું. આ ઉપરાંત યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થા ને મેસેજ કર્યો હતો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. અને ત્યાર બાદ યુવતીએ આ પ્રકારનું પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડની એક યુવતીએ ટ્રેનના ડબ્બામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*