વિરમગામ-બહુચરાજા હાઈવે પર વર્કરોથી ભરેલો ટ્રક ખાઈ ગયો પલટી, 30 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:02 am, Thu, 2 September 21

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. ત્યારે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે વિરમગામ બહુચરાજી હાઇવે પરના દસલાણા ગામ પાસેની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર એક ટ્રક 50થી પણ વધારે વર્કર્સને ભરીને કરસનપુરા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બેઠક જ પલટી ખાઇ ગયો હતો. અકસ્માત દરમિયાન ભાગમાં મુસાફરી કરતા 30થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વિરમગામ અને સાપુતારાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઉપરાંત આ અકસ્માત દરમિયાન બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના બુધવારના રોજ સવારે બની હતી. અકસ્માતમાં 50 થી પણ વધુ વર્ષ થી ભરેલો એક મીની ટ્રક પલટી ખાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ વિરમગામ બહુચરાજી હાઈવે પર નાની મોટી કંપનીઓ આવેલી છે. તેના કારણે અહીં ખાનગી વાહનોમાં મુસાફરી ઓ ખૂબ જ ચાલતી હોય છે.

એ દરમિયાન આ અકસ્માત થયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિરમગામ-બહુચરાજા હાઈવે પર વર્કરોથી ભરેલો ટ્રક ખાઈ ગયો પલટી, 30 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*