માં મોગલના આશીર્વાદથી આ બહેનના ઘરે લગ્નના 23 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… મણીધર બાપુએ દીકરાને ખોળામાં લઈને કહ્યું કે “આનું નામ…”

Published on: 10:19 am, Thu, 8 February 24

માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલ અને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં મા મોગલે પોતાના ચરણમાં આવેલા લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

માં મોગલ ના ઘણા પરચા વિશે પણ તમે સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. એક પતિ પત્નીના લગ્નના 23 વર્ષ થઈ ગયા છતાં પણ તેમને સંતાન પ્રાપ્તિનું સુખ ન હતું.

ઘણા ડોક્ટરોને દેખાડ્યું પરંતુ કાંઈ મેળ પડ્યો નહીં. પછી આ પતિ પત્નીએ કબરાઉમાં બેઠેલી માં મોગલની માનતા માની. પછી તો માં મોગલના આશીર્વાદ થી આ દંપતીના ઘરે લગ્નના 23 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતા જ પરિવારના સભ્યોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પછી પરિવારના સભ્યો દીકરા સાથે કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા. અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું હતું કે તમારે શેની માનતા છે.

ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે, અમને માં મોગલે 23 વર્ષ બાદ દીકરો દીધો છે. એટલે અમે અમારી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છીએ. ત્યારબાદ મણીધર બાપુએ દીકરાને ખોળામાં લીધો હતો અને કહ્યું હતું કે, આનું નામ માધવ રાખજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment on "માં મોગલના આશીર્વાદથી આ બહેનના ઘરે લગ્નના 23 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… મણીધર બાપુએ દીકરાને ખોળામાં લઈને કહ્યું કે “આનું નામ…”"

Leave a comment

Your email address will not be published.


*