રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 નિવૃત્ત ASI સહિત 3 લોકોના મોત…જાડેજા પરિવાર અને ઝાલા પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:43 am, Fri, 23 December 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા માલીયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સમગ્ર ઘટનામાં 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી મળી રહે છે. અકસ્માતની ઘટના બનતા આજે ચારેય બાજુમાં તમે છવાઈ ગયું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયસણ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા પરાશર પાર્કમાં રહેતા નિવૃત્ત ASI પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઉમેેદસિંહ ઝાલા અને ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં પ્રિયાંશીબા જાડેજા, મહેશ્વરીબા જાડેજા, પ્રકાશબા જાડેજા, કૈલાશબા જાડેજા, સુમનબા ઝાલા અને માયાબા જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઇકો કારમાં સવાર તમામ લોકો ડાકોરના ઠાકોરજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને યોગ્ય કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. અકસ્માતના કારણે જાડેજા પરિવાર અને ઝાલા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે થઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 નિવૃત્ત ASI સહિત 3 લોકોના મોત…જાડેજા પરિવાર અને ઝાલા પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*