માતાએ પોતાની બે લાડલી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડનું કારણ જાણીને હચમચી જશો… આમાં બિચારી દીકરીઓનો શું વાંક..?

Published on: 3:10 pm, Sun, 26 February 23

દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના આજથી આંઠેક માસ પહેલા કડી ગામમાં બની હતી. ઘટના બની તે દિવસે મા પોતાની બે દીકરીઓ સાથે અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી.

ત્યારબાદ પરિવારના સભ્યોએ ત્રણેયની ખૂબ જ શોધખોળ કરી પરંતુ કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. અંતે પરિવારને ફોન આવ્યો હતો કે, જલ્દીથી રંગપુરડા નર્મદા કેનાલ પાસે આવો. અહીં કેનાલમાં ત્રણ લોકોના મૃતદેહ તરતા જોવા મળ્યા હતા. તો ચાલો જાણીએ માતાએ પોતાની દીકરીઓ સાથે સુસાઇડ જેવું મોટું પગલું કયા કારણોસર ભર્યું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના ઝાલોર ગામે રહેતા શંભુજી ઠાકોર પોતાનો ધંધો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ પરિવાર સાથે ગામમાં રહે છે. શંભુજી ઠાકોર ના લગ્ન આજથી દસ વર્ષ પહેલા શારદા ઠાકોર નામની મહિલા સાથે થયા હતા.

લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. શંભુજી ઠાકોરની પત્ની મોબાઈલનો વારંવાર ઉપયોગ કરતી હતી. આ કારણોસર એક દિવસ શંભુજી ઠાકોરે પોતાની પત્નીને ઠપકો આપ્યો હતો. શંભુજીભાઈની પત્ની રસોઈ કામમાં અને ઘરગામમાં ધ્યાન ન આપતી હતી એટલે તેમને પોતાની પત્નીને કહ્યું હતું કે, મોબાઈલ ઓછો ઉપયોગ કરવાનું મેં તને કીધું છે તો તું કેમ મોબાઈલનો ઉપયોગ ઓછો કરતી નથી, જો તારે આવું જ કરવાનું હોય તો તારા પિતા અને ફોન કરીને બધી વાત કહું અને આપણા ઘરે બોલાવું છું..

પોતાની પત્નીને ઠપકો આપ્યા બાદ શંભુજી ભાઈ પોતાના કામ પર ચાલ્યા ગયા હતા. ધંધો પતાવીને તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમના માતા પિતાએ તેમને કહ્યું કે તારા સસરા આપણા ઘરે ચા પાણી પીને ગયા છે. પછી શંભુજીભાઈ પોતાના માતા પિતાને પોતાની પત્ની અને બંને દીકરીઓ વિશે પૂછ્યું ત્યારે ત્રણેય ઘરમાં દેખાયા ન હતા.

થોડોક ટાઈમ થઈ ગયો છતાં પણ ત્રણેય ઘરે આવ્યા નહીં. ત્યારબાદ શંભુજીભાઈ આજુબાજુના ગામમાં અને ગામની અંદર તપાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. જ્યારે શંભુજી ભાઈ શોધખોળ કરી રહ્યા હતા ત્યારે કોઈ સંબંધીનો તેમના ઉપર ફોન આવ્યો હતો કે, તેમની પત્ની અને બંને દીકરીઓનું મૃતદેહ રંગપુરડા નર્મદા કેનાલ માંથી બહાર કાઢવામાં આવી રહ્યું છે.

તમે જલ્દીથી અહીં આવી જાવ. ત્યારબાદ શંભુજીભાઈ પોતાના પરિવારજનો સાથે રંગપુરડા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં તેમને પોતાની પત્ની અને બંને દીકરીઓનું મૃતદેહ જોયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ પોતાની બે લાડલી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડનું કારણ જાણીને હચમચી જશો… આમાં બિચારી દીકરીઓનો શું વાંક..?"

Leave a comment

Your email address will not be published.


*