આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક પરિણિત મહિલાનો જીવ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતક મહિલાના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
મૃત્યુ પામેલી મહિલાની ઓળખ મેહરૂન નેશા તરીકે થઈ છે, તેની ઉંમર 22 વર્ષની હતી. મૃત્યુનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, જ્યારે દીકરીના લગ્ન થયા ત્યારે તેને લગ્નની વિદાય વખતે લાખો રૂપિયાનો સામાન સાથે આપ્યો હતો.
લગ્નના થોડાક દિવસ પછી બધું બરોબર ચાલતું હતું. પરંતુ એક બે મહિના બાદ સાસરીયા પક્ષ દ્વારા બાઈક સહિત રોકડા રૂપિયાના દહેજની માંગણી શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનો પરિવાર ગરીબ હોવાના કારણે સાસરીયા પક્ષની આ માંગ પુરી કરી શક્યો ન હતો.
જેથી સાસરિયા પક્ષના લોકો રોજ ને રોજ પરેશાન કરતા હતા. આ સમગ્ર વાત મહિલાએ તેના પિતાને ફોન પર જણાવી હતી. ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાનો આરોપ છે કે, બાઈક માટે સાસરીયા પક્ષ દ્વારા મારી દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાને ચાર મહિનાનો દીકરો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે અને પોલીસ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "લગ્નના એક વર્ષ બાદ પરિણીત મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો, મહિલા ના પિતાનું કહેવું છે કે બાઈક માટે મારી દીકરીનો…"