સુરતમાં ત્રીજા માળેથી નીચે પડતા એક વ્યક્તિનું મોત, એમ્બ્રોઈડરીના પોટલા નીચે ફેકતી વખતે…જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 2:25 pm, Tue, 6 December 22

સુરતમાં બનેલી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રીજા માળેથી નીચે પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના સુરતના ઉધના બમરોલી વિસ્તારમાં બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મનોજભાઈ શુક્લા હતું. તેઓ રિક્ષા ચલાવવાનું કામ કરે છે.

મનોજભાઈ શુક્લા ફેક્ટરી માંથી જોબ વર્ક માટે રો મટીરીયલ લઈ જતા હતા. આ દરમિયાન ત્રીજા માળેથી પોટલા નીચે ફેકતી વખતે અચાનક જ તેમનું બેલેન્સ બગડ્યું હતું અને તેઓ પોટલાની સાથે ત્રીજા માળેથી નીચે પડ્યા હતા. આ ઘટનામાં મનોજભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મનોજભાઈ ના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મનોજ શુખલા ઉધનાના બમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલા નગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે.

મૂળ તેઓ ઉત્તર પ્રદેશના છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ સુરતમાં રહીને રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ફેક્ટરી માંથી જોબ વર્ક માટે પોટલા લઈ જતા હોય છે જેમાં સાડી અને ડ્રેસ ના મટીરીયલ હોય છે. ફેક્ટરી ત્રીજા મળે છે અને વારંવાર ઉપર નીચે ચડ ઉતર ન કરવી પડે તે માટે મનોજભાઈ ત્રીજા માળે બારીમાંથી પોટલા નીચે ફેંકતા હતા.

ત્યારે અચાનક જ તેમનું સંતુલન બગડ્યું હતું અને તેઓ ત્રીજા માળેથી પોટલાની સાથે નીચે પડ્યા હતા. આ ઘટનામાં મનોજભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃત્યુ પામેલા મનોજભાઈ શુક્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ છે. તેઓ વોર્ડ નંબર 23 ઉધના બમરોલીમાં બુથ પ્રમુખ હતા. જ્યારે મનોજભાઈ ઉપરથી નીચે પડે છે ત્યારે આસપાસના લોકો તાત્કાલિક તેમની પાસે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં મનોજભાઈ ના માથાના ભાગે ગંભીરિજા પહોંચી હતી. પછી મનોજભાઈ ને સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ત્રીજા માળેથી નીચે પડતા એક વ્યક્તિનું મોત, એમ્બ્રોઈડરીના પોટલા નીચે ફેકતી વખતે…જુઓ મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*