પતિએ પોતાની પત્નીના શરીરના 6 ટુકડા કરી નાખ્યા, પછી મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે…આ કારણોસર પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો…

Published on: 12:34 pm, Thu, 24 November 22

મિત્રો આજે આપણે એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. 9 નવેમ્બરના રોજ સવારે એક કોથળામાંથી એક મહિલાના શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. 14 દિવસની તપાસ બાદ પોલીસે 22 નવેમ્બરના રોજ આ કેસને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પત્નીને નશો કરવાની આદત હતી. આ આદતથી પરેશાન થઈને પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. પતિએ સૌપ્રથમ પોતાની પત્નીનો જીવ લીધો અને ત્યારબાદ તેના શરીરના 6 ટુકડા કરી નાખ્યા અને એક કોથળામાં ભરીને ફેંકી દીધા તેવું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે. ગામના લોકો આ મામલે કાંઈ બોલતા ન હતા પરંતુ એક મોટી ઉંમરના વ્યક્તિએ કોઈને ખબર ન પડે તેમ આ વાતની જાણ પોલીસને કરી હતી.

આ વ્યક્તિએ કહ્યું હતું કે, સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો ખૂબ જ ડરી ગયા હતા. અને ગામના લોકોને ડર હતો કે આ મામલામાં પોલીસ તેમને પણ પકડી લેશે. ગામમાં નસીલા પદાર્થ વેચનાર વ્યક્તિની હાલમાં પોલીસ શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સીતાપુર જિલ્લાના રામપુરકલા ગામમાં બની હતી. મૃત્યુ પામેલી પત્નીનું નામ સ્નેહા હતું જ્યારે આરોપીનું નામ પંકજ છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 8 વર્ષની સ્નેહા ડ્રગ્સનો નશો કરતી હતી.

પોતાના પત્નીના નશાની વાત હતી પંકજ ખૂબ જ નારાજ રહેતો હતો. ઘરમાં બાળકો હતા તેનો ઉછેર પણ સારો થતો ન હતો. તેની પત્નીની નશાની આદતના કારણે બાળકો ઉપર ખૂબ જ ખરાબ અસર થઈ રહી હતી. આરોપી પંકજે પોલીસને જણાવ્યું કે, તેની પત્ની ડ્રગ્સ મેળવવા માટે કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. તે આ બધું જાણતો હતો, પરંતુ તે પોતાની પત્નીને આ બધામાંથી બહાર કાઢવા માગતો હતો. તેથી તે પોતાની પત્નીને ખૂબ જ સમજાવતો હતો.

તેને પોતાની પત્નીની સારવાર માટે ઘણી બધી દવાઓ પણ કરી હતી પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. એટલું જ નહીં પરંતુ આરોપી પક્કા જે જણાવ્યું કે નશો ન કરે તો તેની પત્ની દસ દસ દિવસ સુધી ઘરમાંથી ગાયબ રહેતી હતી. જ્યારે બાળકો માં વિશે પૂછતા ત્યારે હું તેને કાંઈ જવાબ આપી શકતો ન હતો. તે પોતાની નશાની સામગ્રીઓ કંઇક સંતાડીને રાખતી હતી. મારી પત્નીની સ્થિતિના કારણે ગામના લોકો પણ મારી મજાક ઉડાવતા હતા. એટલું જ નહીં પરંતુ મારી પત્નીનું નામ લઈને મને હેરાન પણ કરતા હતા. આરોપી પંકજે વધુમાં જણાવ્યું કે મારી સામે ગામના લોકો મારી પત્ની વિશે અસ્લીલ વાતો કરતા હતા.

આ બધાથી હું ખૂબ જ કંટાળી ગયો તેથી મેં મારી પત્નીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. 7 નવેમ્બરના રોજ પોતાના પ્લાનના આધારે આરોપી પંકજે પોતાની પત્ની સ્નેહાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેના શરીરના છ જેટલા ટુકડા કરી નાખ્યા. આ ઘટનામાં આરોપી પંકજને તેના મિત્રોએ પણ સાથ આપ્યો હતો. ત્યારબાદ મૃતદેહના ટુકડા એક કોથળામાં ભરીને ખેતરમાં ફેંકી દીધા હતા.

8 નવેમ્બરના રોજ ગામના લોકોએ આ કોથળો જોયો હતો અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે શંકા ના આધારે પતિ પંકજ ની પૂછપરછ કરી હતી અને કડક દરમ્યાન પંકજએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. આરોપી પંકજે જણાવ્યું કે તેની પત્ની નશા માટે ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. ઘરમાં પૈસાની ગમી હોવાના કારણે તે માત્ર 200 થી 300 રૂપિયા માટે અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ પોતાની પત્નીના શરીરના 6 ટુકડા કરી નાખ્યા, પછી મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે…આ કારણોસર પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો…"

Leave a comment

Your email address will not be published.


*