વધુ એક ગુજરાતીનું અમરનાથની યાત્રામાં મોત..! અમેરિકાથી અમરનાથની યાત્રાએ ગુજરાતી મહિલાનું યાત્રામાં કરુણ મોત…ચાર દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:16 am, Sun, 16 July 23

અમરનાથની યાત્રા પર ગયેલી વધુ એક ગુજરાતી મહિલાનું મોત થયું છે. આ ઘટનામાં મૂળ સુરતના કામરેજના વતની અને છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં પરિવાર સાથે રહેતી મહિલા અમરનાથની યાત્રા ઉપર આવી હતી. અમરનાથની યાત્રા દરમિયાન મહિલાના માથા ઉપર પથ્થર પડ્યો હતો અને મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

પતિ ગિરિશભાઇ સાથે ઊર્મિલાબેનની ફાઇલ તસવીર.

આ કારણોસર મહિલાનો ઘટનાસ્થળે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી અમરનાથની યાત્રાના માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમરનાથની યાત્રા પર ગયા છે. ત્યારે વધુ એક ગુજરાતી મહિલાનો અમરનાથની યાત્રા દરમિયાન મોત થયું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ સુરત જિલ્લાના કામરેજ ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતા ઉર્મિલાબેન ગીરીશભાઈ મોદી હાલમાં પોતાના વતન કામરેજ આવ્યા હતા. તેઓ એક ટૂર ટ્રાવેલર્સ દ્વારા પોતાના પતિ સાથે અમરનાથની યાત્રા કરવા માટે ગયા હતા.

આ દરમિયાન અમરનાથની યાત્રામાં અચાનક જ એક પથ્થર ઉર્મિલાબેનના માથા ઉપર પડ્યો હતો. આ કારણોસર તેઓ ગંભીર રીતે ઉજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે ઉર્મિલાબેનનું મૃતદેહ વિમાન દ્વારા પોતાના વતન કામરેજ લાવવામાં આવશે. આ ઘટનાને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પરિવારની મદદે આવ્યા છે.

વિગતવાર વાત કર્યા તો ગીરીશભાઈ અને ઉર્મિલાબેન દોઢ મહિના પહેલા પોતાના વતન આવ્યા હતા. પાંચ થી છ મહિના તેઓ અહીં રોકાવાના હતા. આ દરમિયાન તેઓએ અમરનાથની યાત્રા પર જવાનું નક્કી કર્યું હતું. ગત પાંચ તારીખના રોજ તેઓ કામરેજ થી અમરનાથ જવા માટે રવાના થયા હતા.

અમરનાથની યાત્રા ઉપર પથ્થર માથા ઉપર પડતા ઉર્મિલાબેનનું મોત થયું હતું. આ ઘટના બનતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બનતા જ ચાર દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. તેમનો દીકરો અને દીકરીઓ અમેરિકામાં રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક ગુજરાતીનું અમરનાથની યાત્રામાં મોત..! અમેરિકાથી અમરનાથની યાત્રાએ ગુજરાતી મહિલાનું યાત્રામાં કરુણ મોત…ચાર દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*