અમદાવાદની યુવતીએ લગ્નના 5 વર્ષ બાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, તેનો પતિ કહેતો હતો કે, “હું તને છોડીને 4-4 યુવતીઓ સાથે”…

Published on: 3:14 pm, Sat, 16 July 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મહિલાએ આ પગલું ભર્યા પહેલા પોતાની વ્યથાનું ઓડિયો રેકોર્ડિંગ કરીને તેના પરિવારજનોને મોકલી આપ્યું હતું. ઓડિયોમાં મહિલાએ સુસાઇડ માટે તેના પતિ અને તેની પ્રેમિકાને જવાબદાર ગણાવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ રાત્રે કોટામાં બની હતી. આ ઘટનાનો ઓડિયો શુક્રવારના રોજ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, અમદાવાદમાં રહેતી 26 વર્ષ રીના નામની યુવતીના લગ્ન 5 વર્ષ પહેલા કોટામાં રહેતા કરણસિંહ સાથે થયા હતા, બંને પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ વર્ષનો બાળક છે. મૃતક રીનાની બહેન સાલીનીએ જણાવ્યું કે, રીના ત્રણ બહેન અને એક ભાઈ માં સૌથી મોટી હતી.

રીનાએ બીકોમ ના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર 2017માં કરણ સાથે રીનાની મિત્રતા થઈ હતી. મળતી માહિતી અનુસાર બંને એક જ જગ્યાએ કામ કરતા હતા. ધીરે-ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બંને પ્રેમ લગ્ન કર્યા હતા. રીના પોતાનું વતન અમદાવાદ છોડીને કોટામાં રહેવા આવી ગઈ હતી. લગ્ન બાદ કરણના પરિવારના લોકો રીના ને પિયરમાં આવા દેતા ન હતા.

રીનાની બેહેને જણાવ્યું કે, રીના એ બુધવારના રોજ મોડી રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ગુરૂવારના રોજ આ ઘટનાની જાણ રીનાના પરિવારજનોને થઈ હતી. રીના એ આ પગલું ભર્યા પહેલા એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં રીના એ પોતાના પર થયેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું.

રીનાએ ઓડિયો રેકોર્ડિંગ માં જણાવ્યું હતું કે, તેના પતિ કરણનું પૂજા નામની છોકરી સાથે અફેર છે. કરણ અને પૂજા બંને મોબાઈલ પર ચેટિંગ કરતા હતા. તેથી રીનાએ આ સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો અને યુવતીને સમજાવી હતી. જેથી તેના પતિ કરણે રીનાની ધુલાઈ કરી હતી. કરણ રીનાને કહેતો હતો કે, હું તને છોડીશ અને 4-4ને રાખીશ. પતિ કરણ હવે રીના સાથે રહેવા માગતો ન હતો. પોતાની પ્રેમિકા પૂજા નામની યુવતી સાથે પોતાનું જીવન વિતાવવા માગતો હતો.

રીનાની બહેન સાલીનીએ કહ્યું કે, રીના એ ક્યારેય પણ કરણની હરકતો વિશે અમને કીધું નથી. પરંતુ પંદર દિવસ પહેલા રીનાએ કરણની હરકતો વિશે અમને જાણ કરી હતી. રીના એ પોતાના મૃત્યુ પહેલા ઓડિયો રેકોર્ડ પણ કર્યો હતો. આ ઓડિયો રેકોર્ડ અમને મોકલી આપ્યું હતું. રીનાએ રાત્રે પોતાના પરિવારને આ ઓડિયો રેકોર્ડ મોકલ્યો હતો.

પરંતુ રાત્રિના સમયે પરિવારના સભ્યો સુઈ જવાના કારણે રાત્રે કોઈ આ ઓડિયો રેકોર્ડ જોયો ન હતો. સવારે જાગીને જોયું ત્યારે ફોનમાં રીનાનો મેસેજ દેખાયો હતો, તેમાં આ ઓડિયો રેકોર્ડ હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઉપરાંત મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આ પગલું ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદની યુવતીએ લગ્નના 5 વર્ષ બાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, તેનો પતિ કહેતો હતો કે, “હું તને છોડીને 4-4 યુવતીઓ સાથે”…"

Leave a comment

Your email address will not be published.


*