મહિલા ડોક્ટર પોતાના લાડલા દીકરાને પતાવીને પોતે સુસાઇડ કરી લીધો… આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને હક્કા બક્કા થઈ જશો…

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર આપણે સુસાઇડ ના કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે. ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જે જોઈને કે સાંભળીને લોકો ચોકી જતા હોય છે. આજના ઝડપી વિશ્વમાં લોકો મુશ્કેલ પરિસ્થિતિઓ માટે ઓછી સહનશીલતા ધરાવે છે અને જીવનના મૂલ્યની કદર કરવામાં નિષ્ફળ જાય છે.

નાની નાની સમસ્યાઓ પણ દુર્ગમ લાગે છે અને લોકો મુશ્કેલીઓમાંથી બહાર આવવાને બદલે કંટાળાને કારણે જીવ ગુમાવી રહ્યા છે. કમ નસીબે આવી જ એક ઘટના આંધ્ર પ્રદેશના રાજમુદ્રીમાં બની હતી. જ્યાં જાણીતા ત્વચા રોગ વિજ્ઞાની લાવણીયા દોથાસ્મેટી તેના સાત વર્ષના પુત્ર સાથે રહેતી હતી.

લાવણીયા અને તેના પતિ વંશીકૃષ્ણ વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેના પતિએ છુટાછેડા ની નોટિસ મોકલી હતી. લાવણીયા અત્યંત હતાશ અને બેચેન બની ગઈ, અને તેના પિતાએ તેને દિલાસો આપવાના પ્રયત્ન કર્યા છતાં, તેણીએ તેના પુત્રને ઊંઘની ગોળી નો રસ પીવડાવ્યો અને પોતે ઊંઘની ગોળીઓનો વધુ પડતો ઉપયોગ કર્યો.

સવારે તે અને તેનો પુત્ર બંને જાગ્યા ન હતા અને જ્યારે સાથીદારોએ તેમનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેઓ બેભાન મળી આવ્યા હતા. લાવણીયાના પિતા જે એક ડોક્ટર પણ હતા તેણે હોસ્પિટલ લઈ ગયા પણ મોડું થઈ ગયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે,

ઘરેલું હિસ્સાના કારણે એક ડોક્ટરે પોતાનો અને તેના પુત્ર નો જીવ લીધો તે સાંભળીને લોકો પણ ચોકી ગયા હતા. આપણે આપણા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે ત્યારે મદદ લેવી જોઈએ. જીવન કીમતી છે અને આપણે પડકારો નો સામનો કરવા છતાં તેને વળગી રહેવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*