આમલી ડેમમાં 10 જેટલા શ્રમિકોથી ભરેલી નાવડી પલટી ગઈ, 2 લોકોના મૃત્યુ, 3 લોકોનો બચાવ…

Published on: 5:03 pm, Tue, 11 January 22

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 10 જેટલા શ્રમિકોથી ભરેલી નાવડી ડેમ પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે.

ઉપરાંત 3 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે અને 5 શ્રમિકોની હજૂ શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર આમલી ડેમ ની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે શ્રમિકો જઈ રહ્યા હતા. દરરોજની જેમ શ્રમિકો નાવડીમાં બેસીને ઘાસચારો લેવા જતા હતા.

ત્યારે શ્રમિકો થી ભરેલી નાવડી પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બચાવ ની ઘટના સ્થળે પહોંચી આવી હતી. બચાવ ટીમે ત્રણ શ્રમિકોને બચાવી લીધા હતા હજુ પણ પાંચ શ્રમિકોની શોધખોળ શરૂ થશે અને બે શ્રમિકોના મૃત્યુ થઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી સ્થાનિક તરવૈયાઓએ ડેમમાં ડૂબી રહેલા લોકોને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે છે. સમગ્ર ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આમલી ડેમમાં 10 જેટલા શ્રમિકોથી ભરેલી નાવડી પલટી ગઈ, 2 લોકોના મૃત્યુ, 3 લોકોનો બચાવ…"

Leave a comment

Your email address will not be published.


*