પશુઓ માટે ઘાસચારો લેવા ગયેલા 15 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો, યુવકનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:07 pm, Thu, 28 July 22

આજકાલ સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખેતરમાં પશુઓ માટે ઘાસચારો રહેવા ગયેલા 15 વર્ષના યુવકને સાપે ડંખ લગાવ્યો હતો. જેના કારણે યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના હાથરસમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જીનૌલી કિશનપુર ગામમાં રહેતા જગદીશભાઈ દીવાકરનો 15 વર્ષનો દીકરો અભિષેક કુમાર પશુઓ માટે ઘાસચારો લેવા માટે ખેતરે ગયો હતો. ઘાસચારો કાપતી વખતે ખેતરમાં હાજર એક ઝેરી સાથે અભિષેકને ડંખ લગાવ્યો હતો.

સાપ કરડવાના કારણે અભિષેકની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તે જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યો હતો. અભિષેકની બુમ સાંભળીને ગામના લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનવાના કારણે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ત્યારબાદ અભિષેકને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે અભિષેકને મૃત જાહેર કર્યો હતો. અભિષેકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હજુ સુધી આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

આ ઉપરાંત સાસનીના ગામમાં પણ આવી જ એક ઘટના બની હતી. આ ઘટનામાં એક સાપે બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ડંખ લગાવ્યા હતા. જેમાં જેમાં એક મહિલાની હાલત ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પશુઓ માટે ઘાસચારો લેવા ગયેલા 15 વર્ષના યુવકને ઝેરી સાપે ડંખ માર્યો, યુવકનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*