એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 5:25 pm, Thu, 28 July 22

આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ઝાંસીમાં એક મહિલાએ ગળાફાંસો લગાવીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. પતિ ફરીથી લગ્ન કરશે તેવી શંકામાં મહિલાએ આ પગલું ભર્યું હતું. લગ્નના 15 વર્ષ થઈ ગયા, છતાં પણ સંતાન ન હતો તેથી સાસરીયાઓ મહિલાને આ બાબત પર ટોણા મારતા હતા.

ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનો દાવો છે કે, તેના પતિએ બીજા લગ્ન કર્યા તેથી તેને આ પગલું ભર્યું છે. જ્યારે મૃત્યુ પામેલી મહિલાના પતિનું કહેવું છે કે તેને બીજા લગ્ન નથી કર્યા. ઘરેલુ વિવાદોના કારણે મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના ગોહાટની રહેવાસી 32 વર્ષે નીતુ નામની મહિલાના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા નંદનપુરાના રહેવાસી ગિરીશ નામના યુવક સાથે થયા હતા. લગ્ન પછી નીતુને સંતાન ન હતું.

તેથી સાસરિયાંઓ તેને આ બાબત પર ટોણા મારતા હતા તેવું નીતુના મામાનું કહેવું છે. 15 દિવસ પહેલા નીતુ પોતાના પિયર આવી હતી. ત્યારે તેને કહ્યું હતું કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે. આ વાતને લઈને નીતુ ખૂબ જ પરેશાન હતી. મળતી માહિતી અનુસાર નીતુના નાનપણમાં જ તેના માતા-પિતાનું મૃત્યુ થયું હતું. નીતુ એકમાત્ર પરિવારની દીકરી હતી.

મળતી માહિતી અનુસાર નીતુના મામાને ખબર પડી કે નીતુનું મૃત્યુ થયું છે. તેથી તે નીતુના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેના ઘરે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ રાત્રે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. નિતુ એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પતિએ બીજા લગ્ન કર્યા છે તેવી શંકામાં નીતુએ આ પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*