સુરતના સોલંકી પરિવારના 7 લોકોએ સુસાઈડ કરી લીધું… એક જ ઝટકામાં હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો… જાણો સમગ્ર ઘટના

સુરતમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જ પરિવારના સાત લોકોએ સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના પાલનપુર પાટિયા પાસે આવેલ નુતન-રો હાઉસની સામે બની હતી.

અહીં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામુહિક સુસાઇડ કરી લીધું છે. ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે, પિતાએ પોતાના પરિવારના સભ્યોને દવા પીવડાવીને પોતે ગળાફાંસો ખાઈ લીધો છે.

મૃત્યુ પામેલા સાત લોકોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.

પોલીસે મૃતકોના આસપાસના લોકો અને તેમના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. હાલમાં તો એવું જાણવા મળી રહ્યું છે કે, પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.  વિગતવાર વાત કરે તો મનીષભાઈ સોલંકી નામના વ્યક્તિ ફર્નિચરનો સાઈડ પર કામ કરતા હતા.

મનીષભાઈ ઘરના મોભી હતા એમને ઘરના બધા સભ્યોને ઝેરી દવા પીવડાવીને પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે તેવું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં મનીષભાઈ સોલંકી, તેમની પત્ની રેશમાબેન, કાવ્યા, ત્રિશા કૃપાલ, કનુભાઈ અને શોભાબેનનું મોત થયું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ અને બાકીના છ લોકોએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*