ખાટુશ્યામજીના દર્શન કરવા જતા 2 જીગરી મિત્રોનું અકસ્માતમાં દર્દનાક મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 5:31 pm, Wed, 27 September 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે બે જીગરી મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યું છે કે, બંને મિત્રો ખાટો શ્યામજીના દર્શન કરવા માટે જતા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 48 પર શેરપુર પાસે બની હતી. બંને મિત્રો દિલ્હીથી ખાટો શ્યામજી જઈ રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં 47 વર્ષીય અમરકાંત અને 36 વર્ષે નિલેશકુમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે બંને જીગરી મિત્રો હતા. મંગળવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બંને પોતાના પરિવાર સાથે સ્વીફ્ટ ડિઝાયર કારમાં ટેક્સી નંબરથી ખાટુ શ્યામજી જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ લગભગ રાત્રે એક વાગ્યાની આસપાસ શેરપુર ગામ પાસે પહોંચ્યા, ત્યારે તેમને પોતાની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી.

ત્યાર પછી પરિવારના તમામ બાળકો અને મહિલાઓ સર્વિસ રોડ ક્રોસ કરીને શૌચાલયમાં ગયા હતા. આ દરમિયાન કારના વાહનનો માલિક, અમરકાંત અને તેનો મિત્ર નિલેશ કુમાર કાર પાસે ઉભેલા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં અમરકાંત અને નિલેશકુમારનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો પોલીસે સમગ્ર ઘટનાને લઈને હાલમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમરકાંતનું મોત થતા જ આઠ મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાટુશ્યામજીના દર્શન કરવા જતા 2 જીગરી મિત્રોનું અકસ્માતમાં દર્દનાક મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*