ખેડૂતોને લઇને કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત, 1 ઓક્ટોબરથી મેળવી શકશો આ મોટો લાભ

Published on: 3:37 pm, Wed, 23 September 20

આજ રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર નું ત્રીજું સત્ર શરૂ થયા પહેલા રાજ્ય સરકારે ખેડૂતોને લઇને એક જાહેરાત કરી છે.ખેડૂતો માટે પોતાના ખેતરની આસપાસ તાર ફેન્સીંગ ની સહાય મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે, તાર ફેન્સીંગ સહાયમાં હવે ખેડૂતો માટે પાંચ હેક્ટર ની જગ્યા ક્લસ્ટર માન્ય ગણાશે. વધારેમાં તેમને જણાવ્યું કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ જ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદ ના કારણે ખેડૂત અને મોટાપાયે નુકસાન થયું છે. તે મુદ્દે અગત્યની જાહેરાત કરવામાં આવી છે.વધુ વરસાદ થી જે પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લા ના 123 તાલુકા ને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે.ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે.

નાનાખેડૂતોને ₹5000ની ઓછામાં ઓછી સહાય મળે તેવી જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે.જેમને વધારે માં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. આ વર્ષે જે કંઈ નુકસાન થયું છે તેમાં સૌરાષ્ટ્રના તમામ જીલ્લા ને નુકસાન માં આવરી લેવાયા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે ના રિપોર્ટ આવ્યા અને SDRF પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે.

તાલુકાકક્ષાએ સર્વે કરવામાં આવ્યા છે.બિન પિયત ખરીફ સીઝનના કારણે હેક્ટર ની મર્યાદામાં 6800 લેખે 2 હેક્ટર સુધી આપી શકશે અને રાજ્ય ફંડ માંથી 3200 નો ઉમેરો કરી દસ હજાર પ્રતિ 2 હેક્ટર ની મર્યાદામાં આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોને લઇને કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત, 1 ઓક્ટોબરથી મેળવી શકશો આ મોટો લાભ"

Leave a comment

Your email address will not be published.


*